નાયકી દેવી: ગુજરાતની એ રાણી જેણે મહંમદ ઘોરીને યુદ્ધમાં હરાવ્યો હતો
ભારતના ઇતિહાસમાં અનેક વીરાંગનાઓએ પોતાના શૌર્ય અને બુદ્ધિચાતુર્યથી પોતાની ભૂમિનું રક્ષણ કર્યું છે, પરંતુ તેમાંથી ઘણી બધી ઇતિહાસના પાનાઓમાં ભુલાઈ ગઈ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ દરેક ભારતીયના હોઠ પર છે, પરંતુ ગુજરાતની એક એવી રાણી, જેણે ઝાંસીની રાણી કરતાં પણ સાત સદી પહેલાં એક વિદેશી આક્રમણખોરને હરાવીને પાછો કાઢ્યો હતો, તેનું નામ બહુ ઓછા…
