ગુજરાતનો ઇતિહાસ | તહેવારો અને પરંપરાઓ | ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો | લોકસંસ્કૃતિ અને લોકકલા | સૌરાષ્ટ્રનો ઇતિહાસ
જન્માષ્ટમી લોકમેળા: સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના મેળાનું મહત્ત્વ.
ભારત ઉત્સવોનો દેશ છે અને ગુજરાત એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર, તેના લોકમેળાઓ અને ઉત્સવોની ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. “સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ભૂમિ,” પણ આ ભૂમિ જેટલી વીરતા માટે પ્રખ્યાત છે, તેટલી જ તેના લોકજીવનના રંગો માટે પણ પ્રખ્યાત છે. હિન્દુ પંચાંગ મુજબ જ્યારે શ્રાવણ મહિનો બેસે છે, ત્યારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં એક…
