વડનગરનું તોરણ અને કીર્તિસ્તંભ: સોલંકી કાળની ભવ્યતા.
ગુજરાતનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને ગૌરવશાળી રહ્યો છે. આ ઇતિહાસમાં જો કોઈ કાળખંડને ‘સુવર્ણયુગ’ તરીકે ઓળખવામાં આવતો હોય, તો તે છે ‘સોલંકીકાળ’ (ઈ.સ. ૯૪૨ થી ૧૨૪૪). આ એ સમય હતો જ્યારે ગુજરાત માત્ર રાજકીય કે આર્થિક રીતે જ નહીં, પરંતુ કલા, સાહિત્ય અને સ્થાપત્યના ક્ષેત્રે પણ તેની ચરમસીમાએ હતું. સોલંકી રાજાઓના આશ્રય હેઠળ રચાયેલી સ્થાપત્યકલાને…
