કર્ણદેવ સોલંકી (કર્ણદેવ પહેલો (ઈ.સ. ૧૦૬૪-૧૦૯૨))
કર્ણ પ્રથમ (શાસનકાળ: આશરે ઈ.સ. ૧૦૬૪-૧૦૯૨) ગુજરાત રાજ્યના શાસક હતા. તેઓ ચૌલુક્ય (સોલંકી) વંશના સભ્ય હતા અને તેમણે તેમની રાજધાની અણહિલપાટક (આધુનિક પાટણ) થી શાસન કર્યું હતું. કર્ણ તેમના પિતા ભીમદેવ પ્રથમના અનુગામી બન્યા હતા (ગાદીએ આવ્યા હતા), જેમણે રાજા ભોજના મૃત્યુ સમયે માળવાના પરમાર રાજ્ય પર આક્રમણ કર્યું હતું. જોકે, રાજા ભોજના ભાઈ ઉદયાદિત્ય…
