ગુજરાતના શહેરો અને પ્રદેશોનો ઇતિહાસ | જીવનચરિત્ર | પ્રખ્યાત વ્યક્તિઓ | રાજવંશો અને શાસકો | લોકવાર્તાઓ અને દંતકથાઓ
ગોંડલ નરેશ ભગવતસિંહજી: એક આદર્શ અને પ્રગતિશીલ શાસક
સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર અનેક રજવાડાઓ અસ્તિત્વમાં હતા, અનેક રાજાઓએ શાસન કર્યું, પરંતુ પ્રજાના હૃદયમાં અમર સ્થાન પ્રાપ્ત કરનારા શાસકો આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. તેવા વિરલ શાસકોમાં શિરમોર નામ એટલે ગોંડલ નરેશ મહારાજા સર ભગવતસિંહજી. જ્યારે ભારતભરના અનેક રાજાઓ મોજશોખ, શિકાર અને વિલાસમાં રચ્યાપચ્યા રહેતા હતા, ત્યારે ગોંડલના આ રાજવીએ પોતાના રાજ્યને ‘રામરાજ્ય’…
