ઝૂલતા મિનારા: અમદાવાદના સ્થાપત્યનું વૈજ્ઞાનિક રહસ્ય.
અમદાવાદ, ભારતનું પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’, તેના ગર્ભમાં અનેક ઐતિહાસિક ઈમારતો, પોળો અને દરવાજાઓને સાચવીને બેઠું છે. પરંતુ કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલી સદી બશીર મસ્જિદના “ઝૂલતા મિનારા” માત્ર એક ઐતિહાસિક ઈમારત નથી; તે મધ્યકાલીન ઈજનેરી વિદ્યા (Engineering) અને ભૌતિકશાસ્ત્ર (Physics) નો એક એવો અદભુત નમૂનો છે, જે આધુનિક વિજ્ઞાન માટે પણ એક કોયડો બની…
